ભગવાન શ્રી રામનાં હાથે વધ કરાયા બાદ આ ગુફામાં આજે પણ રાખવામાં આવ્યુ છે રાવણનું શબ,નથી કરવામાં આવ્યા તેના અંતિમ સંસ્કાર, જાણો શું છે રહસ્ય

શ્રીલંકા : રામાયણ સાથે જોડાયેલા રહસ્યો વિશે જાણવાની ઉત્સુકતા દરેકને હોય છે. એવું માનવામાં આવે છે કે આજે પણ શ્રીલંકામાં રામાયણ અને  ભગવાન રામ સાથે સંબંધિત ઘણા સંકેતો અને પુરાવાઓ હાજર છે, જેના વિશે દરેક વ્યક્તિ જાણવા માંગે છે. આ સ્થાન ભગવાન શ્રી રામ અને રાવણ સાથે જોડાયેલા ઘણા સત્યો જણાવે છે. નવરાત્રીના અંત પછી દશેરા, દસમા દિવસે ઉજવવામાં આવે છે જેને વિજયાદશમી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન રામે દશમીના દિવસે રાવણનો વધ કર્યો હતો.

એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે લગભગ 50 એવી જગ્યાઓ છે જે રામાયણ સાથે સંબંધિત છે. આ સંશોધન મુજબ આજે પણ રાવણનો મૃતદેહ પહાડોમાં બનેલી ગુફામાં સુરક્ષિત છે. આ ગુફા શ્રીલંકાના રાગલાના ગાઢ જંગલોમાં આવેલી છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામના હાથે રાવણનો વધ થયાને 10 હજાર વર્ષથી વધુ સમય વીતી ગયો છે.

જે ગુફામાં રાવણનું શબ રાખવામાં આવ્યું છે તે રાગલાના જંગલોમાં 8 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. અહીં રાવણના મૃતદેહને મમી બનાવીને શબપેટીમાં રાખવામાં આવ્યો છે. તેના પર એક ખાસ પ્રકારનું કોટિંગ લગાવવામાં આવ્યું છે, જેના કારણે તે હજારો વર્ષોથી એવું ને એવું જ દેખાય છે.

સંશોધન શ્રીલંકાના આંતરરાષ્ટ્રીય રામાયણ સંશોધન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે. આ રિસર્ચ અનુસાર, રાવણના મૃતદેહને 18 ફૂટ લાંબો અને 5 ફૂટ પહોળી શબપેટીમાં રાખવામાં આવ્યો છે. એવું પણ કહેવાય છે કે આ શબપેટીની નીચે રાવણનો અમૂલ્ય ખજાનો છે. આ ખજાનો એક ભયંકર સાપ અને ઘણા ભયાનક પ્રાણીઓ દ્વારા રક્ષિત છે.

આ સંએવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો, ત્યારે તેણે અંતિમ સંસ્કાર માટે તેનું શરીર વિભીષણને સોંપ્યું હતું. પરંતુ વિભીષણે સિંહાસન ગ્રહણ કરવાની ઉતાવળમાં રાવણનો અંતિમ સંસ્કાર ન કર્યો અને દેહને જેમ છે તેમ છોડી દીધો.

એવું કહેવાય છે કે આ પછી નાગકુલના લોકો રાવણના શબને પોતાની સાથે લઈ ગયા, કારણ કે તેઓ માનતા હતા કે રાવણનું મૃત્યુ ક્ષણિક છે, તે ફરીથી જીવિત થશે. પરંતુ તે બન્યું નહીં. આ પછી તેણે રાવણના મૃત શરીરનું મમી બનાવ્યુ, જેથી તે વર્ષો સુધી સુરક્ષિત રહે.

સંશોધનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રાવણની અશોક વાટિકા ક્યાં હતી અને તેનું પુષ્પક વિમાન ક્યાં ઉતરતું હતું. આ સિવાય ભગવાન હનુમાનના પગના નિશાન શોધવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પરંતુ આ તમામ બાબતોની સત્યતા હજુ સુધી સાબિત થઈ શકી નથી.

error: Content is protected !!