જો તમે પણ દહીં સાથે આ વસ્તુ ખાતા હોવ તો ચેતી જજો, આંતરડાંને થશે ગંભીર નુકસાન
અમદાવાદઃ દૂધ પીવું આપણાં માટે ફાયદાકારક છે. તો દહીં પણ લાભદાયી છે. જોકે, દહીં ખાતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો આ ધ્યાન રાખવામાં ના આવે તો શરીર માટે તે ઝેર બની જાય છે. દહીં ભોજન પચાવવા માટે સહાય કરે છે. દહીંમાં કેલ્શિયમ રહેલું છે. દહીંમાં પ્રોટીન પણ છે. જોકે, દહીં આ વસ્તુઓ સાથે ખાવું જોઈએ નહીં.
દહીં અને ખાટા ફળોઃ દહીં પોતે જ ખાટું છે. આથી દહીં સાથે ક્યારેય ખાટા ફળો ખાવા નહીં. બંને સાથે ખાવાથી શરીરમાં ટોક્સિન બને છે, જેથી પચવામાં ભારે પડે છે.
દહીં-પરોઠા-પૂરીઃ મોટાભાગે આપણે પરોઠા કે પૂરી સાથે દહીં ખાતા હોઈએ છીએ. એન્ઝાઈમ ફેટ્ હોવાને કારણે પચવામાં મુશ્કેલી પડે છે.
દહીં અને ચીઝઃ દહીં અને ચીઝ ક્યારેય એક સાથે ખાવું જોઈએ નહીં. બંને સાથે ખાવ તો તબિયત ખરાબ થાય છે. આયુર્વેદમાં આ બંનેના એક સાથે સેવનને હાનિકારક બતાવવામાં આવ્યું છે.
દહીં-અડદની દાળઃ ક્યારેય અડદની દાળ સાથે દહીં ખાવું નહીં. બંને એક સાથે ખાવાથી ભોજન ઝેર સમાન બની જાય છે. જે શરીરને નુકસાન પહોંચાડે છે.